ભારતની ભૂગોળ: મુખ્ય બહુઉદ્દેશીય પરિયોજનાઓ તથા આંતર રાજ્ય નદી જળ વિવાદ

ભારતન ભૂગોળ

ભારતમાં મુખ્ય બહુઉદ્દેશીય પરિયોજનાઓ
પરિયોજનાનદીલાભ મેળવતા રાજ્યો
દામોદર ઘાટી પરિયોજનાદામોદર નદીપશ્ચિમ બંગાળ, ઝારખંડ
ભાખડા નાંગલ પરિયોજનાસતલજ નદીહરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ રાજસ્થાન
હીરાકુંડ બંધ પરિયોજનામહાનદીઓડિશા
નાગાર્જુન સાગર પરિયોજનાકૃષ્ણા નદીઆંધ્ર પ્રદેશ, તેલંગાણા
પોચંપાદ પરિયોજનાગોદાવરી નદીતેલંગાણા
ઇડુક્કી પરિયોજનાપેરિયાર નદીકેરળ
સરદાર સરોવર પરિયોજનાનર્મદા નદીમધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત
ઇન્દિરા સાગર બંધ(નર્મદા નદી)ગુજરાત
બાણસાગર પરિયોજનાસોન નદીબિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ
તિલૈયા પરિયોજનાબરાકર નદીઝારખંડ
નાથપા ઝાકરી પરિયોજનાસતલુજ નદીહિમાચલ પ્રદેશ
ઠરી પરિયોજનાઝેલમ નદીજમ્મુ-કાશ્મીર
બગલિહાર પરિયોજનાચેનાબ નદીજમ્મુ-કાશ્મીર
ચંબલ પરિયોજનાચંબલ નદીમધ્ય પ્રદેશ, રાજસ્થાન
તુલબુલ પરિયોજનાઝેલમ નદીજમ્મુ-કાશ્મીર
અલમટ્ટી બંધ પરિયોજનાકૃષ્ણા નદીઆંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર
રિહંદ પરિયોજનારિહંદ નદીઉત્તર પ્રદેશ
કિશનગંગા પરિયોજનાકિશનગંગા નદીજમ્મુ-કાશ્મીર
કેન-બેતવા લિંક પરિયોજનાકેન-બેતવા નદીઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ
ગાંધી સાગર બંધચંબલ નદીમધ્ય પ્રદેશ
ટીહરી બંધ પરિયોજનાભાગીરથી નદીઉત્તરાખંડ
શ્રીસૈલમ પરિયોજનાકૃષ્ણા નદીઆંધ્ર પ્રદેશ, તેલંગાણા
મેટ્ટૂર પરિયોજનાકાવેરી નદીતમિલનાડુ
શરાવતી પરિયોજનાશરાવતી નદીકર્ણાટક
શિવસમુદ્રમ પરિયોજનાકાવેરી નદીકર્ણાટક, ગોવા, તમિલનાડુ
હિડકલ પરિયોજનાઘાટપ્રભા નદીકર્ણાટક
કાકરાપારા પરિયોજનાતાપ્તી નદીગુજરાત
રણજીત સાગર બંધ (થીન બંધ) પરિયોજનારાવી નદીપંજાબ
દુલહસ્તી પરિયોજનાચેનાબ નદીજમ્મુ-કાશ્મીર
માતાટીલા બંધબેતવા નદીઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ
તુંગભદ્રા પરિયોજનાપેન્નાર, તુંગભદ્રા નદીઆંધ્ર પ્રદેશ, કર્ણાટક
ઉકાઈ પરિયોજનાતાપ્તી નદીગુજરાત

દામોદર ઘાટી પરિયોજના:
  • આ સ્વતંત્ર ભારતની પ્રથમ (1948) બહુઉદ્દેશીય પરિયોજના છે, જેમાં દામોદર અને તેની સહાયક નદીઓ બરાકર, કોનાર, બોકારો પર બંધ બનાવવામાં આવ્યો છે.
  • આ સંયુક્ત રાજ્ય અમેરિકાના 'ટેનેસી નદી ઘાટી પરિયોજના' પર આધારિત છે.
  • આ પરિયોજનાનો વિસ્તાર ઝારખંડ વ પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે.
  • મુખ્ય બંધ: તિલૈયા, મૈથાન, કોનાર, પંચેત હિલ વગેરે.
  • મુખ્ય તાપ ગૃહ: બોકારો તાપ ગૃહ, દુર્ગાપુર તાપ ગૃહ, ચંદ્રપુરા તાપ ગૃહ વગેરે.

આંતર રાજ્ય નદી જળ વિવાદ (Inter-state river water disputes) 

બંધારણીય જોગવાઈ
  • બંધારણના અનુચ્છેદ 262ના બે ખંડ 262 (1) તથા 262 (2) છે, જેમાં આંતર્રાજ્ય નદી જળ વિવાદોના સમાધાનથી સંબંધિત ઉપબંધ કરવામાં આવ્યા છે.
સંસદ દ્વારા આ સંબંધમાં વર્ષ 1956માં બે અધિનિયમ પસાર કરવામાં આવ્યા-
  1. નદી બોર્ડ અધિનિયમ, 1956
  2. આંતર્રાજ્ય નદી જળ વિવાદ અધિનિયમ, 1956
  • કાવેરી નદી જળ વિવાદ આ વિવાદ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી, કર્ણાટક, તમિલનાડુ તથા કેરળ રાજ્યોની વચ્ચે નદીના પાણીની વહેંચણીને લઈને છે.
  • કૃષ્ણા નદી જળ વિવાદ કર્ણાટકમાં કૃષ્ણા નદી પર અલમટ્ટી બંધની ઊંચાઈ વધારવાને લઈને તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક તથા મહારાષ્ટ્રની વચ્ચે જળ વિવાદ છે.
  • પેરિયાર નદી જળ વિવાદ પેરિયાર નદી પર નિર્મિત મુલ્લા પેરિયાર બંધની ઊંચાઈને લઈને તમિલનાડુ તથા કેરળની વચ્ચે વિવાદ છે.
  • સતલજ-યમુના લિંક નહેર વિવાદ પંજાબ તથા હરિયાણાની વચ્ચે નહેરના પાણીને લઈને વિવાદ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ