વિશ્વની ભૂગોળ : ભૂકંપ

વિશ્વ ભૂગોળ

ભૂકંપ (Earthquake)

  • પૃથ્વીની સપાટી પર જાણીતા-અજાણ્યા કારણોથી થતા કંપનને ભૂકંપ કહે છે.
  • ભૂકંપના અભ્યાસને સિસ્મોલોજી કહે છે.
  • જે સ્થળે સૌપ્રથમ ભૂકંપીય તરંગોનો અનુભવ થાય છે તેને ભૂકંપ મૂળ (Epicenter) કહે છે.
  • જે સ્થળો પર સૌપ્રથમ ભૂકંપીય મોજાંનો અનુભવ થાય છે તેને અધિકેન્દ્ર (Focus) કહેવામાં આવે છે.
  • ભૂકંપ તરંગોની તીવ્રતા 'સીસ્મોગ્રાફ યંત્ર' વડે માપવામાં આવે છે.
  • તેના ત્રણ સ્કેલ છે -

    (1) રૉસી ફૉરલ સ્કેલ
    (2) મરકેલી સ્કેલ
    (3) રિક્ટર સ્કેલ
ભૂકંપ દરમિયાન અનેક પ્રકારની ભૂકંપીય તરંગો ઉત્પન્ન થાય છે જેને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવી છે -

(1) P તરંગ (પ્રાથમિક તરંગો)
  • P તરંગો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય માધ્યમોમાં પ્રવેશ કરે છે. આ તરંગની સરેરાશ ઝડપ 8 km/sec છે. આ તરંગની તીવ્રતા સૌથી વધુ છે, જેના કારણે તે કોઈ પણ સ્થળે સૌથી પહેલા પહોંચે છે.
  • આ તરંગનો માર્ગ અનુદૈર્ધ્ય હોય છે, અર્થાત્ તે ધ્વનિ તરંગ સમાન હોય છે.

(2) S તરંગ (દ્વિતીયક તરંગો)
  • S તરંગોને અનુપ્રસ્થ તરંગ પણ કહે છે.
  • તે માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે.
  • તે P તરંગો પછી પહોંચે છે. તે પ્રવાહી પદાર્થોમાંથી પસાર થઈ શકતી નથી, તેથી સાગરના ભાગોમાં અદૃશ્ય થઈ જાય છે.

(3) L તરંગ (Love તરંગો)
  • L તરંગોની શોધ H.D. Love એ કરી હતી, તેથી તેને Love Waves પણ કહે છે.
  • આ તરંગો સૌથી વધુ વિનાશકારી હોય છે.
નોંધ (Note):
  • સમાન ભૂકંપીય તીવ્રતાવાળા સ્થળોને જોડતી રેખાને 'સમભૂકંપીય રેખા' (Isoseismal Lines) કહે છે.
  • એક જ સમયે આવતા ભૂકંપીય ક્ષેત્રોને જોડતી રેખા 'હોમોસીસ્મલ લાઈન' કહેવાય છે.
  • પૃથ્વી પર ભૂકંપ ક્ષેત્રનું વિતરણ નીચે મુજબ છે - પ્રશાંત મહાસાગર તટીય પટ્ટો, મધ્ય મહાદ્વીપીય પટ્ટો અને મધ્ય એટલાન્ટિક પટ્ટો.
  • પ્રશાંત મહાસાગર તટીય પટ્ટામાં વિશ્વના લગભગ 63 ટકા ભૂકંપ આવે છે.
  • પ્રશાંત મહાસાગર પટ્ટામાં પશ્ચિમમાં અલાસ્કાથી ક્યુરાઇલ, જાપાન, મેરિયાના અને ફિલિપાઇન ખાઈ સુધી ફેલાયેલી પ્લેટ ટેક્ટોનિક કિનારીઓ પર ભૂકંપ આવે છે.
  • મધ્ય મહાદ્વીપીય પટ્ટામાં વિશ્વના લગભગ 21 ટકા ભૂકંપ આવે છે.
  • ભારતનો ભૂકંપ ક્ષેત્ર મધ્ય મહાદ્વીપીય પટ્ટા હેઠળ આવે છે.
  • મધ્ય એટલાન્ટિક પટ્ટામાં ભૂકંપ આવવાનું મુખ્ય કારણ સમુદ્રતળનું પ્રસરણ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ