ભારતની ભૂગોળ: ભારતના દ્વીપ સમૂહ

ભારત ભૂગોળ

ભારતના દ્વીપ સમૂહ (Islands of India)

  • ભારતના દ્વીપ સમૂહને મુખ્યત્વે બે ભાગોમાં વહેંચી શકાય છે- પહેલો બંગાળની ખાડીમાં સ્થિત 'અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ' તથા અરબ સાગરમાં સ્થિત 'લક્ષદ્વીપ સમૂહ' અને બીજા અન્ય દ્વીપ સમૂહ જે નીચે મુજબ છે-
દ્વીપ સમૂહ (Group of Islands)અન્ય દ્વીપ
અંદમાન અને નિકોબારશ્રીહરિકોટા
લક્ષદ્વીપપંબન દ્વીપ
ન્યૂ મૂર દ્વીપ
અબ્દુલ કલામ દ્વીપ
માજુલી દ્વીપ
  • દ્વીપ: સ્થળખંડનો એવો ભાગ છે, જેની ચારે બાજુ પાણીનો વિસ્તાર હોય છે.
  • તે મહાસાગર, સાગર, સરોવર અને નદી વગેરેમાં ક્યાંય પણ મળી શકે છે. આ દ્વીપ, સમુદ્રમાં ડૂબી ગયેલા પર્વતોના ભાગ છે.

બંગાળની ખાડીમાં સ્થિત દ્વીપ સમૂહ

  • બંગાળની ખાડીના દ્વીપ સમૂહમાં લગભગ 572 દ્વીપ છે, તેમાંથી 36 પર વસ્તી જોવા મળે છે.
  • આ દ્વીપ સમૂહ 6°45' થી 14° ઉત્તરી અક્ષાંશ અને 92° થી 94° પૂર્વીય રેખાંશની વચ્ચે સ્થિત છે.
  • રીચી દ્વીપ સમૂહ અને લબરીન્થ દ્વીપ અહીંના બે મુખ્ય દ્વીપ સમૂહ છે.
  • બંગાળની ખાડીમાં ઉત્તરથી દક્ષિણ તરફ ફેલાયેલા દ્વીપોની શ્રુંખલા અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહના નામથી ઓળખાય છે.
  • આ દ્વીપ સમૂહને 10° ચેનલ ઉત્તરમાં અંદમાન દ્વીપ સમૂહ અને દક્ષિણમાં નિકોબાર દ્વીપ સમૂહ એમ બે ભાગોમાં વહેંચે છે.
  • એવું માનવામાં આવે છે કે આ દ્વીપ સમૂહ ડૂબી ગયેલી પર્વત શ્રુંખલાના શિખરો છે. આ દ્વીપ સમૂહોમાં જોવા મળતા છોડ અને પ્રાણીઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે.
  • આ દ્વીપ વિષુવવૃત્તની નજીક સ્થિત છે અને અહીંની આબોહવા વિષુવવૃત્તીય છે. તે ગાઢ જંગલોથી છવાયેલું છે.
  • અંદમાન નીચેના દ્વીપોનો સમૂહ છે:
    • ઉત્તરી અંદમાન
    • મધ્ય અંદમાન
    • દક્ષિણી અંદમાન 
    • લિટિલ અંદમાન
  • આ દ્વીપ સમૂહની મુખ્ય પર્વત ચોટીઓમાં-
    • સૈડલ પીક ચોટી (ઉત્તરી અંદમાન લગભગ 738 મીટર)
    • માઉન્ટ ડિયોવાલી (મધ્ય અંદમાન 515 મીટર)
    • માઉન્ટ કોયોબ (દક્ષિણી અંદમાન લગભગ 460 મીટર)
    • માઉન્ટ થુઇલ્લર (ગ્રેટ નિકોબાર- 642 મીટર) નો સમાવેશ થાય છે.
  • અંદમાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયર (વર્તમાન નામ શ્રી વિજયપુરમ) દક્ષિણી અંદમાન દ્વીપ પર સ્થિત છે. અહીં જ પ્રસિદ્ધ 'સેલ્યુલર જેલ' છે.
  • 'કોકો સ્ટ્રેટ', 'અંદમાન (ઉત્તરી અંદમાન)' ની ઉત્તરમાં સ્થિત છે, જે અંદમાનને મ્યાનમારના 'કોકો દ્વીપ સમૂહ'થી અલગ કરે છે.
  • દક્ષિણી અંડમાન તેમજ લિટલ અંડમાનની વચ્ચે 'ડંકન' પાસ આવેલો છે.
  • 'મધ્ય અંડમાન'ના પૂર્વમાં 'બેરન દ્વીપ' સ્થિત છે, જે ભારતનો એકમાત્ર 'સક્રિય જ્વાળામુખી' છે, જ્યારે ઉત્તરી અંડમાનના પૂર્વમાં સ્થિત 'નારકોન્ડમ' એક સુષુપ્ત જ્વાળામુખી દ્વીપ છે.
  • 6 ડિગ્રી ચેનલ ગ્રેટ નિકોબારને 'સુમાત્રા'થી વિભાજિત કરે છે.
  • ગ્રેટ નિકોબાર દ્વીપ ઇન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપના સૌથી નજીક અવસ્થિત ભારતીય ક્ષેત્ર છે.
  • ભારતનો દક્ષિણતમ બિંદુ 'ઇન્દિરા પોઇન્ટ' છે, જે 'ગ્રેટ નિકોબારના દક્ષિણમાં સ્થિત છે. (વર્ષ 2004ની સુનામીના કારણે તે જળમાં ડૂબી ગયો છે).
  • ઇન્દિરા પોઇન્ટનું અન્ય નામ 'પિગમેલિયન પોઇન્ટ', (પાર્સન્સ પોઇન્ટ) છે.
  • અંડમાન તેમજ નિકોબાર દ્વીપ સમૂહની સર્વોચ્ચ ચોટી 'સેડલ પીક' છે, જે ઉત્તરી અંડમાનમાં સ્થિત છે તથા 'માઉન્ટ થુલિયર', અંડમાન તેમજ નિકોબારની બીજી સૌથી ઊંચી પર્વત ચોટી છે, જે 'ગ્રેટ નિકોબાર દ્વીપ પર સ્થિત છે'.
  • અહીં 'સેટિનલીજ', 'જારવા', 'શૉમ્પેન', વગેરે મુખ્ય જનજાતિયો નિવાસ કરે છે.
  • 16મી લોકસભા ચૂંટણીમાં પહેલીવાર શૉમ્પેન જનજાતિએ મતદાન કર્યું.
  • વર્ષ 2018માં બદલાયેલ મુખ્ય દ્વીપોના નામ:
    • રોસ દ્વીપનું નામ નેતાજી સુભાષ ચંદ્ર બોસ દ્વીપ કરવામાં આવ્યું.
    • નીલ દ્વીપનું નામ શહીદ દ્વીપ કરવામાં આવ્યું.
    • હેવલોક દ્વીપનું નામ સ્વરાજ દ્વીપ કરવામાં આવ્યું.
અરબ સાગરમાં સ્થિત દ્વીપ
  • અરબ સાગરના દ્વીપોમાં લક્ષદ્વીપ અને મિનિકોય દ્વીપ સમૂહનો સમાવેશ થાય છે.
  • આખો દ્વીપ સમૂહ પ્રવાલ નિક્ષેપથી બનેલો છે.
લક્ષદ્વીપ
  • લક્ષદ્વીપ સમૂહ કેરળના માલાબાર તટ પાસે અરબ સાગરમાં સ્થિત પ્રવાલ નિક્ષેપ દ્વીપ છે.
  • પહેલા આ દ્વીપને લકાદીવ, મિનિકોય તથા અમીનીદીવના નામથી ઓળખવામાં આવતો હતો.
  • ઇ.સ. 1973માં તેનું નામ લક્ષદ્વીપ રાખવામાં આવ્યું.
  • આ દ્વીપ 8° થી 12° ઉત્તરી અક્ષાંશ અને 71° થી 74° પૂર્વી દેશાંતરની વચ્ચે 32 ચોરસ કિમી.ના નાના ક્ષેત્રમાં ફેલાયેલો છે.
  • તે કેરળ તટના પશ્ચિમમાં 280 કિમી.થી 480 કિમી. દૂર સ્થિત છે.
  • 'લક્ષદ્વીપ' અરબ સાગરમાં પ્રવાલ ભિત્તિઓ દ્વારા નિર્મિત એક દ્વીપ સમૂહ છે, જેમાં કુલ 36 દ્વીપો છે.
  • 'કવારત્તી' લક્ષદ્વીપની રાજધાની છે, જે 9° ચેનલની ઉત્તરમાં આવેલી છે.
  • કવારતી દ્વીપ લક્ષદ્વીપનું વહીવટી મુખ્યમથક છે.
  • આ દ્વીપ મિનિકોય દ્વીપથી 9° ચેનલ દ્વારા અલગ થાય છે તથા મિનિકોય 8° ચેનલ દ્વારા માલદીવથી અલગ થાય છે.
  • લક્ષદ્વીપના ઉત્તરી દ્વીપ સમૂહને અમીની દીવ અને દક્ષિણી દ્વીપ સમૂહને મિનિકોય કહેવામાં આવે છે.
  • લક્ષદ્વીપ સમૂહ 11° ચેનલ દ્વારા બે ભાગોમાં વિભાજિત થાય છે - ઉત્તરમાં અમીની દ્વીપ અને દક્ષિણમાં કન્નાનોર દ્વીપ.
  • અગાતી લક્ષદ્વીપ સમૂહનો એકમાત્ર દ્વીપ છે, જ્યાં હવાઈ મથક છે.
  • પિટલી દ્વીપ જ્યાં મનુષ્યોનો નિવાસ નથી, ત્યાં એક પક્ષી અભયારણ્ય છે.
  • લક્ષદ્વીપ સમૂહના બધા દ્વીપો પર મલયાલમ ભાષા બોલાય છે.
  • મિનિકાય દ્વીપ એકમાત્ર અપવાદ છે, જ્યાં મહેલ ભાષા બોલાય છે.
  • મહેલ દેવેહી લિપીમાં લખાય છે, જે મૂળભૂત રીતે માલદીવની ભાષા છે.
અન્ય મુખ્ય દ્વીપ

શ્રીહરિકોટા
  • આંધ્ર પ્રદેશના તટ પર સ્થિત દ્વીપ છે.
  • આ જ દ્વીપ પર ભારતનું એકમાત્ર ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર 'સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર' આવેલું છે.
  • આ દ્વીપ 'પુલિકટ સરોવર'ને બંગાળની ખાડીથી અલગ કરે છે.
  • પુલિકટ સરોવર આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ રાજ્યની સરહદો પર સ્થિત છે.
પંબન દ્વીપ
  • પંબન દ્વીપ પર જ 'રામેશ્વરમ' સ્થિત છે.
  • તે 'આદમ બ્રિજ' અથવા 'રામ સેતુ'નો જ ભાગ છે તથા ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલો છે.
  • તે મન્નારની ખાડીમાં આવેલો છે.
ન્યૂ મૂર દ્વીપ
  • આ દ્વીપ બંગાળની ખાડીમાં ભારત અને બાંગ્લાદેશની સરહદ પર આવેલો છે.
  • જેના પર અધિકારને લઈને બંને દેશો વચ્ચે વિવાદના કારણે તેને બંને દેશો વચ્ચે વહેંચવામાં આવ્યો છે.
અબ્દુલ કલામ દ્વીપ (વ્હીલર દ્વીપ)
  • તે ઓડિશાના સાગર તટથી દૂર અને રાજધાની ભુવનેશ્વરથી લગભગ 150 કિ.મી. દૂર આવેલો એક દ્વીપ છે.
  • તેનું જૂનું નામ 'વ્હીલર દ્વીપ' હતું.
  • ભારત તેનો ઉપયોગ પોતાના પ્રક્ષેપાસ્ત્ર કાર્યક્રમના પરીક્ષણ કેન્દ્ર તરીકે કરે છે.
માજુલી દ્વીપ
  • માજુલી દ્વીપ દુનિયાનો સૌથી મોટો નદી દ્વીપ છે, જે આસામમાં બ્રહ્મપુત્ર નદીની મધ્યમાં આવેલો છે.
  • તે તેની જૈવ વિવિધતા માટે પ્રખ્યાત છે.
  • અહીંની વસ્તી ગીચ છે.
  • માજુલીને આસામનો 33મો જિલ્લો જાહેર કરાયો છે.
  • આ સાથે જ તે દેશનો 'પહેલો નદી દ્વીપીય' જિલ્લો બની ગયો છે.
સંબંધિત તથ્યો:
  • કચ્છની ખાડી કચ્છ તથા કાઠિયાવાડ દ્વીપકલ્પને અલગ કરે છે.
  • ખંભાતની ખાડી કાઠિયાવાડ દ્વીપકલ્પને ગુજરાતની મુખ્ય ભૂમિથી અલગ કરે છે.
  • નર્મદા તથા તાપી નદીઓના મુખ પર સ્થિત દ્વીપ અનુક્રમે અલિયાબેટ તથા ખદિયાબેટ છે.
  • વેલિંગટન દ્વીપ, કોચ્ચિ શહેર (કેરળ)નો ભાગ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ