ઉપ-રાષ્ટ્રપતિ
- ભાગ-V, અનુચ્છેદ 63-71 જોગવાઈ-અમેરિકા
- ભારતનો ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનો હોદ્દેદાર અધ્યક્ષ હોય છે. (અનુચ્છેદ 64/89)
- ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનો સભ્ય હોતો નથી તેથી તેને મતદાન કરવાનો અધિકાર નથી, પરંતુ સભાપતિ તરીકે નિર્ણાયક મત આપવાનો અધિકાર પ્રાપ્ત છે.
- તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
- 35 વર્ષની ઉંમર પૂરી કરી ચૂક્યો હોવો જોઈએ.
- રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવવા માટેની યોગ્યતા ધરાવતો હોવો જોઈએ.
- ચૂંટણીના સમયે કોઈ લાભના પદ પર ન હોવો જોઈએ.
- ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર માટે 20 પ્રસ્તાવક તથા 20 સમર્થક (અનુમોદક) જોઈએ.
- બંધારણમાં કાર્યકારી ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કરવાની કોઈ જોગવાઈ નથી.
- કૃષ્ણકાંત કાર્યકાળ દરમિયાન અવસાન પામનારા એકમાત્ર ઉપરાષ્ટ્રપતિ છે.
- ઉપરાષ્ટ્રપતિને તેના પદના શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે.
- ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે.
- તેનો કાર્યકાળ પાંચ વર્ષ નક્કી કરવામાં આવ્યો છે.
- રાષ્ટ્રપતિનું પદ ખાલી થતાં ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિની હેસિયતથી કાર્ય કરે છે. (અનુચ્છેદ-65)
- ઉપરાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરવાની મહત્તમ અવધિ 6 મહિનાની હોય છે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી ફરજિયાત છે.
- રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતી વખતે ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિની તમામ શક્તિઓ, વિશેષાધિકારો અને વેતન તથા ભથ્થાનો ઉપયોગ કરી શકે છે.
- વર્ષ 1997 થી ઉપરાષ્ટ્રપતિ માટે પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે.
- જ્યારે ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે ત્યારે તે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે નહીં.
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લોકસભા તથા રાજ્યસભાના સભ્યો મળીને કરે છે.
- ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિના રૂપમાં વેતન મેળવે છે.
- ઉપરાષ્ટ્રપતિનો પગાર ચાર લાખ રૂપિયા/માસ છે.
- વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ છે, તેઓ 14મા ક્રમના ઉપરાષ્ટ્રપતિ છે.
- ભારતમાં હજી સુધી કોઈ પણ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની નથી જોકે બે મહિલાઓએ ચૂંટણી લડી છે. 1. નઝમા હેપતુલ્લા (2007) 2. માર્ગરેટ આલ્વા (2022)
- ફક્ત વી.વી. ગિરિની ચૂંટણીના સમયે બીજા ક્રમની (વરીયતાની) મતગણતરી કરવી પડી હતી.
- ડૉ. એસ. રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા બીજા રાષ્ટ્રપતિ હતા.
- એટર્ની જનરલની નિમણૂક બંધારણના અનુચ્છેદ-76 હેઠળ રાષ્ટ્રપતિ કરે છે.
- એટર્ની જનરલ રાષ્ટ્રપતિની પ્રસન્નતા સુધી પદ ધારણ કરે છે. [અનુચ્છેદ-76 (4)]
- મહાન્યાયવાદીને સંસદ સભ્યોની જેમ તમામ મુક્તિઓ તથા વિશેષાધિકાર પ્રાપ્ત હોય છે.
- એટર્ની જનરલ બનવા માટે તે જ યોગ્યતાઓ હોવી જોઈએ, જે ઉચ્ચતમ ન્યાયાલયનો ન્યાયાધીશ બનવા માટે હોય છે.
- ભારતના પ્રથમ મહાન્યાયવાદી એમ.સી. સીતલવાડ હતા.
- વર્તમાનમાં ભારતના મહાન્યાયવાદી આર. વેંકટરમણી છે.
- એટર્ની જનરલ ન તો સંસદનો સભ્ય હોય છે અને ન જ મંત્રી પરિષદનો સભ્ય હોય છે. પરંતુ તે કોઈ પણ ગૃહમાં ભાષણ આપી શકે છે, પરંતુ તેને મત આપવાનો અધિકાર નથી.
- એટર્ની જનરલ ભારતનો પ્રથમ કાયદા-અધિકારી હોય છે. તે ભારત સરકારને કાયદા સંબંધિત વિષયો પર સલાહ આપે છે.
- એટર્ની જનરલને ભારતના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો અધિકાર છે.
- એટર્ની જનરલને સહાયતા આપવા માટે એક સોલિસિટર જનરલ અને બે વધારાના સોલિસિટર જનરલ પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
- નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષકની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે (અનુચ્છેદ-148).
- જાહેર ધનના સંરક્ષક નિયંત્રક મહાલેખા પરીક્ષકને કહેવામાં આવે છે.
- નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષકની પદાવધિ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીની હોય છે.
- નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષક પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે.
- તેનો પગાર 2.50 લાખ રૂપિયા/માસ હોય છે.
- તે કેન્દ્ર સરકારના લેખાઓ સંબંધિત રિપોર્ટ રાષ્ટ્રપતિને આપે છે.
- નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષકને સંસદના બંને ગૃહોના આવેદન પર હટાવી શકાય છે.
- તે રાજ્ય સરકારના લેખાઓ સંબંધિત રિપોર્ટ રાજ્યપાલને આપે છે.
- તે સંસદની લોક લેખા સમિતિના મિત્ર અને માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે.
- ભારતના પ્રથમ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક વી. નરહરિ રાવ હતા.
- વર્તમાનમાં ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક શ્રી કે. સંજયમૂર્તિ છે.
- નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષક એકલ સદસ્ય સંસ્થા છે.
- નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષક ફક્ત લેખા પરીક્ષણનું કાર્ય કરે છે.
0 ટિપ્પણીઓ