કાંતનાં ખંડ કાવ્યો

✓ કાંતનાં ખંડ કાવ્યો .




 કાન્ત એટલે મણિશંકર રત્નજી ભટ્ટ (1867 થી 1923), તેઓ કલાપિનાં સમકાલીન હતાં . કાન્ત અને કલાપિ બંન્ને ઉર્મિશીલ કવિઓ છે . બંન્નેએ પ્રેમ , મૈત્રી અને પ્રભુભકિતનાં સંવેદનો પોતાની કવિતામાં આલેખ્યાં છે . તેમની કવિતામાં તેમનું આંતર જીવન પ્રતિબિંબિત થાય છે . ધર્મ અને સ્નેહની વચ્ચે તિવ મંથન અનુભવતા સત્યશોધક કાન્તનાં કવિમાનસનું ચિત્ર આપણને તેમની ઉર્મિ કવિતામાં જોવા મળે છે . ઉર્મિકાવ્યો અને ખંડ કાવ્યો બંને ક્ષેત્રે કાન્તનું પ્રદાન છે . પરંતુ ખંડકાવ્યોએ તેમને વધુ યશ અપાવ્યો છે . ' પૂર્વાલપ ' માં કાન્તની સમગ્ર કવિતા 

ઉર્મિકાવ્યોઃ -  કાન્ત પોતાની બંને પત્નિઓને ઉદ્દેશીને રચેલા ઉર્મિકાવ્યોમાં "ઉદ્દગાર", "પ્રમાદી નાવિક", "વિધુર કુરંગ", "વિપ્રયોગ", " મુગ્ધાને", "સંબોધન", "પુરાની પીત", "મનોહર મૃતિ", "વાત્સલનાં નયનો", "આપણી રાત", "પ્રિયાને પ્રાર્થના", "રાજાની માંગણી" વગેરે કાવ્યો રચયાં છે . 

કલાપિ અને બળંવતરાય જેવા મિત્રોને ઉદ્દેશીને "અજ્ઞાત સંખાને", "કલાપિને સંબોધન", "ઉપહાર", "રાજહંસને સંબોધન", "રતિને પ્રાર્થના", "ઉષાલાપ", "અગતિનું ગમને" વગેરે ઉર્મિકાવ્યો લખેલા છે . 

કાન્તનાં સર્વોત્તમ ઉર્મિકાવ્યોમાં "સાગર અને શશી","મનોહર મૃતિ" અને "આપણી રાત" નો સમાવેશ થાય છે . આ ત્રણેય ઉર્મિકાવ્યો તેમનું મનોમંથન શમી ગયા પછી રચાયેલા ઉત્તમ કોટિનાં કાવ્યો છે . તેમાંય "સાગાર અને શશી" તો સર્વાગ સુંદર રચના છે . ગુજરાતી ઉર્મિકવિતાનું તે ચિરંજીવી શિખર ગણાય , આ કાવ્યમાં શરદ પુનમની રાત્રિનું અદભુત સૌદર્ય જોઈને કવિએ પરમ પિતા પરમેશ્વરનું અહોભાવ પૂર્વક અભિવાદન કર્યું છે . 


" આજ મહારાજ જેલ પર ઉદય જોઈને ચંદ્રનો , હર્ષ જામે " 

ચંદ્રનો હૃદયમાં સ્નેહ ધન , કુસુમવન , વિમલ , પરિમલ ગહન , 

નિજ હૃદય માહી ઉત્કર્ષ પામે , પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ભાસે "


આ કાવ્યમાં કવિએ શબ્દાલંકારો પણ ઉત્તમ રીતે પ્રયોજયા છે .


 "જલધિ જલદલ ઉપર દામિની દમકતી , 

યામિની વ્યોમ સરમાંહી સરતી , 

કામિની કોકિલા કેલિ મુજન કરે

 સાગરે ભાસતી ભવ્ય ભરતી પિતા

 સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી "


 કાન્તનાં ઉર્મિકાવ્યોમાં સાદાઈ , શિષ્ટતા અને રસિકતાનું સુંદર સંયોજન પ્રાપ્ત થાય છે . જે ન્હાનાલાલ સિવાય બીજો કોઈ સિધ્ધ કરી શકયો નથી . 


ખંડ કાવ્યોઃ ખંડ કાવ્ય , ઉર્મિ કાવ્ય અને કથનાત્મક કાવ્યની વચ્ચેનું કાને શોધેલું અને પ્રચલિત કરેલું વિશિષ્ટ કાવ્ય સ્વરૂપ છે . "મા", "મૃગતૃષ્ણા", "અતિજ્ઞાન", "વસંત વિજય", "ચક્રવાક મિથુન" અને "દેવયાની" આટલા ખંડકાવ્યો તેમણે લખ્યાં છે . તેમાં છેલ્લા ચાર કાવ્યો તેમની નિરૂપણ શૈલી અને કલાદેષ્ટિનો ઉત્તરોત્તર વિકાસ સાધે છે . આ કાવ્યોમાં વસ્તુ નિરૂપણ , પાત્ર , ચિત્રણ , ભાવ પલટા , છંદ વિવિધ્ય અને આદિ – અંતની સુંદર યોજના નું ઉત્તમ આયોજન જોવા મળે છે . 

"અતિજ્ઞાન" માં સહદેવનાં ત્રિકાળજ્ઞાન ને શાપ રૂપ બનતો વર્ણવીને કવિએ વેધક કરૂણ રસ નિપજાવ્યો છે . દ્રોપદીનાં અપમાનનાં પ્રસંગે તેને બચાવી નહીં શકે , એવું સહદેવનું અતિજ્ઞાન વ્યર્થ સાબિત થાય છે . ત્યારે સહદેવનાં મુખમાં કવિએ અત્યંત મર્મવેધક ઉદ્ગારો મુકયા છે . અને કાવ્યને નાટયાત્મક બનાવ્યું છે .

 "વસંતવિજય" કાવ્યમાં પાંડુને ભુતકાળમાં મળેલો ઋષિનો શાપ એ પૌરાણિક સંદર્ભ લેવામાં આવ્યો છે . પ્રકૃત્તિનાં પ્રભાવ હેઠળ કામવૃત્તિ અદમ્ય બને છે , ત્યારે પ્રણયની વેદી પર ઝંપલાવી પાંડુ પોતાના જીવનની આહુતિ આપે છે . આ પ્રસંગ દ્વારા કવિએ પ્રકૃત્તિનાં ઉદ્દીપન પ્રભાવ દ્વારા માર્કી પ્રત્યનો ભાવ ક્રમશઃ પ્રબળ બનતો બતાવ્યો છે . અને અંતે શાપનું વિસ્મરણ થતાં વસંતનો વિજય થાય છે . વસંત વિજય કાવ્ય કાન્તનું ઉત્તમ ખંડકાવ્ય કહી શકાય . 

ચક્રવાક મિથુન ખંડકાવ્યમાં લોક પ્રસિદ્ધ કથાનકને લઈને કવિએ અભિશાપ રૂપ વિરહને દુર કરવા જીવનને હોમી દેતા ચક્રવાક યુગલની કરુણ રસિક કથા આલેખી છે. કાવ્યનાં અંતમાં કવિ પ્રથમ નિરાશાવાદી જણાય છે . પરંતુ પછી આશાવાદી બનતાં કાવ્ય પંકિતમાં પોતે જ ફેરફાર કરે છે .

 " વહીં જ ચેનત એક દીસ નહીં , " ( પછી બદલાયેલ પંકિત )

" વહીં અચેતન એક દીસ નહીં " 

દેવયાની ખંડ કાવ્યમાં લેખકે દૈત્યોનાં ગરૂ શુક્રાચાર્ય ની પુત્રી દેવયાની અને શુક્રાચાર્યના શિષ્ય કશ્યપની પ્રણયકથા આલેખી છે . આ કાવ્યઓ પ્રણય શૃંગારનાં મુગ્ધ ભાવો કવિએ વિવિધ છંદો સંયોજનમાં અભુત રીતે આલેખ્યાં છે .

 કાન્તનાં , " પૂર્વાલાપ " નામનાં કાવ્યસંગ્રહ માં જે ઉપરોકત તમામ ખંડકાવ્યો અને ઉર્મિકાવ્યો આલેખાયેલા છે . 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ